કવિ દાદ

દુહા

‘દાદ’ કહે આ જગતમાં
સંતોષી એક ઝાડ,
એક મુળીયે પાણી પાવ,
ત્યાં રાજી સઘળી ડાળ.

બજારું જે નર બન્યા એની
બજારે જ કિંમત હોય,
હાથી વેચાય હાટડે, પણ
સાવજ ન વેચાતો હોય.

ઝાઝા કૂણા માણસે શુરો
ન એક જીતાય,
કબૂતર હોલાથી કદી,
બાજ ન રોકી શકાય.

પંખીડાનેય પ્રેમથી,
પેટ પુરતો જ વહેવાર,
ભરે ન જાજો ભાર,
દાણા કોઠીએ દાદભા.

જટાળો સાવજ જમે,
આઠ દિ’એ એકવાર,
દિનમાં દસવાર તમે
દાબડ્યા ભોજન દાદભા.

વધેલું વેરી દેય,
સંઘરે નહી તલભાર,
અમીના લ્યે ઓડકાર,
ડાઢાળો સાવજ દાદભા.

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com

One thought

Comments are closed.