મનથી ભજે કોઈ મોગલને તો અંગ પીડા મટી જાય,
દુખનાં હટી જાય દહાડા અને જીવન સુખમય થાય.
અંધશ્રદ્ધાને જ્યા સ્થાન નથી એવુ છે મોગલ ધામ ,
જે નમ્યા દિલથી મોગલને એના અમર થયા છે નામ.
આજુબાજુનાં પંથકમાં કોઈ ભૂલથી પણ ન કરે ચોરી,
માઁ મોગલને પ્રતાપે, ક્યારેય જોવા ન મળે ગુનાખોરી.
ભક્તોની જામે ભીડ છત્તા; કોઈને ન થાય લેશ હાની,
ભક્તોનાં દુખ હરવામા, માઁ મોગલ ન કરે પાછી પાની.
અમીર – ગરીબના જ્યાં ભેદ નહી; સૌ એક સમાન,
સાથે મળી સૌ દર્શન કરે ને મોગલનાં ગાય ગુણગાન.
નત મસ્તકે સૌ નમે માતને અને હૈયે ખૂબ જ હરખાય,
માઁ મોગલની કૃપાથી આજ B.D.VAGH ‘માં’ ના ગુણ ગાય.